Site icon updates24.in

માનવ કલ્યાણ યોજના

ગુજરાત રાજ્યના લોકોને નાણાકીય સહાય પૂરી પાડવાના ઉદ્દેશ્યથી માનવ કલ્યાણ યોજના શરૂ કરી છે. આ યોજના સરકાર દ્વારા વંચિત સમુદાયો અને પછાત જાતિના લોકોના આર્થિક ઉત્થાન માટે બનાવવામાં આવી છે. આ યોજનામાં, શાકભાજી વેચનારા, ધોબી, મોચી, સુથાર, ફેરિયા વગેરે જેવા ઓછી આવક ધરાવતા લોકોને સરકાર તરફથી નાણાકીય મદદનો લાભ મળે છે.

માનવ કલ્યાણ યોજના સરકાર દ્વારા ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં રહેતા પછાત જાતિના મજૂરો, કારીગરો અને નાના પાયે વિક્રેતાઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટે આવી છે.

આ યોજના હેઠળ અરજી માટે પાત્રતા અને આવક મર્યાદાન નક્કી કરવામાં આવી છે, જેમાં ગ્રામીણ વિસ્તારોમાં ₹ 12000 સુધી અને શહેરી વિસ્તારોમાં ₹ 15000 સુધીની આવક ધરાવતા વ્યક્તિઓ આ યોજના હેઠળ અરજી કરવા પાત્ર છે.

માનવ કલ્યાણ યોજના માટે પાત્રતા

ઉંમર :- ૧૮ વર્ષ થી ૬૦ વર્ષ.

વાર્ષિક આવક

કુટુંબની વાર્ષિક આવક રૂ.૬,૦૦,૦૦૦/- સુધી હોવી જોઇએ. 

ગ્રામ્‍ય વિસ્‍તારના લાભાર્થીઓ માટે
જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખામાં સમાવેશ થયેલ હોવો ફરજીયાત છે. 

મળવા પાત્ર ટૂલકીટસ

ક્રમટુલકીટ્સનું નામ
1.દૂધ દહીં વેચનાર
2.ભરતકામ
3.બ્યુટી પાર્લર
4.પાપડ બનાવટ
5.વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
6.પ્લમ્બર
7.સેન્ટિંગ કામ
8.ઇલેકટ્રીક એપ્લાયૅન્સીસ રીપેરીંગ
9.અથાણા બનાવટ
10.પંચર કિટ

તમને શું લાભ મળે છે.

આ યોજના હેઠળ, સરકાર પછાત જાતિના કારીગરો, મજૂરો અને નાના વિક્રેતાઓને જરૂરી સાધનો સાથે નાણાકીય સહાય પૂરી પાડે છે.

રોજગારમાં મદદ કરવા માટે સાધનોની જોગવાઈ.

જરુરી દસ્તાવેજો

આધાર કાર્ડ

રેશનકાર્ડ

આવકનું પ્રમાણપત્ર

ઇ-શ્રમ કાર્ડ

જાતિ નું પ્રમાણપત્ર

અરજી કેવી રીતે કરવી

અરજી કરવા માટે ઈ-કુટિર પોર્ટલ (https://e-kutir.gujarat.gov.in) પર ઓનલાઈન જ કરવાની રહેશે.

Read more: માનવ કલ્યાણ યોજના
Exit mobile version